ચર્ચાપત્ર, ગુજરાત મિત્ર, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ .
સ્ટાર્ટ-અપ અને સીઈઓ/ફાઉન્ડરના હોદ્દા, મોટાં પ્રશ્નાર્થ?
છેલ્લા થોડા વર્ષોમાં સ્ટાર્ટ-અપ એ ભારે જોર પકડયું છે. આજકાલ કોઈ પણ નાની મોટી કંપની ઉભી કરી પોતાને સીઈઓ બનાવી દે છે. ખોટું કાંઈ નથી પણ એ ત્યારે જ જ્યારે તમારી પાસે એક્દમ નવીન, અદ્ભુત, અનોખા વિચારો અને ઇરાદા હોય અને પછી આગળ વધે તો સરાહનીય ખરું જ, એમાં શંકાને સ્થાન નહી.. બાકી ચોંકાવનારા આંકડાઓ એવું સાબિત કરે છે કે ૯૦%થી વધુ સ્ટાર્ટ-અપ થોડા જ વર્ષોમાં બંધ થયા છે. અગત્યની વાત, આ બધા સ્ટાર્ટ-અપને લાખો-કરોડોમાં બાહ્ય રોકાણકારો દ્વારા સહારો આપવામાં આવે છે. એ સમજાતું નથી કે અન્યના પૈસે તમે મોંઘીદાટ જીવનશૈલી અપનાવી પોતાને સીઈઓ પદ પર બેસાડી દો તો એ કેટલું યોગ્ય? આ પ્રેરણાદાયક ખરું આજના યુવાઓ માટે? બસ એમજ બીજાને કૉપી કરવાના ચક્કરમાં સમય અને ભવિષ્ય બગાડે કે પછી રાજનીતિક સહારો લઈ, હું આને સપોર્ટ કરું અને હું પેલાને એ કાંઈ કામનું ખરું? મા-બાપ ૫૦-૬૦ વર્ષે પણ પૈસા કમાવા નોકરી કરે અને અમુક બાળકો પોતાને પ્રેક્ટિકલ અને મા-બાપને Old School (જુનવાણી વિચારોવાળા) કહી એમને ફોસલાવી શરૂઆતના દિવસોમાં મા-બાપનાં પૈસે જ ધંધો કરે અને નિષ્ફળ જાય. આવા લોકોએ સૌપ્રથમ I Support My Parentsનું નારું લગાવવું જોઈએ. સોશિયલ મીડિયામાં I Support xyz કહેવાથી ઘરે કપડા-રોટી આવી નથી જતાં. ઘરનાં કામ કરવા કોઈ નેતા નથી આવવાનો. ખરી પરિપક્વતા એ જ છે કે કાંઇ પણ કરવાં, સ્ટાર્ટ-અપ શરૂ કરતાં પહેલાં કાંઈક એટલા કાબેલ બનો કે કુટુંબ પર બોજ ન આવે, વિચારો અનન્ય હશે તો સફળ થવાના જ. જહીં તહીં પોતાને CEO લખી દેવાથી બની નથી જવાતું. શિક્ષણ/કાબેલિયત હશે તો પૈસો આપમેળે જ તમને ફોલો કરશે. સફળતા એનો રસ્તો શોધી જ લેશે કાબેલિયત સુધી પહોંચવાનો.
- ડૉ. મંથન આર. શેઠ, સુરત
- ડૉ. મંથન આર. શેઠ, સુરત
No comments:
Post a Comment